સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

શબ્દ- વામન નિંબાળકર

શબ્દોથી જ પેટે છે ઘરબાર, દેશ
અને માણસો પણ.
શબ્દો બુઝાવે છે આગ પણ
શબ્દોથી પેટેલા માણસોની.
શબ્દો ન હોત તો ઊડયા ન હોત
આંખમાંથી આગના તણખા
વહ્યાં ન હોત આંસુનાં મહાપુર.
આવ્યું ન હોત પાસે કોઈ
ગયું ન હોત દૂર-
શબ્દો ન હોત તો.

- વામન નિંબાળકર

અનુવાદ: દિનેશ દલાલ

One Response to “શબ્દ- વામન નિંબાળકર”

  1. સબળ રચના….


Leave a Reply